કોને કોને થશે આ નિર્ણયનો લાભ?
સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજે લાખો પરિવારોને આર્થિક ફાયદો થશે, જેમાં સાતમા પગારપંચ હેઠળ આવતા તમામ રાજ્ય સરકારના કર્મચારીઓ. પંચાયત વિભાગના કર્મચારીઓ. ગ્રાન્ટેડ શાળાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ. અખિલ ભારતીય સેવા (AIS)ના અધિકારીઓ અને રાજ્ય સરકારના તમામ પેન્શનરોને લાભ થશે.
મોંઘવારી વચ્ચે મોટી રાહત
છેલ્લા કેટલાક સમયથી વધતી જતી મોંઘવારી વચ્ચે સરકારના આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોની પેન્શનની રકમમાં સીધો વધારો જોવા મળશે. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે હવે DAનો દર 60% પર પહોંચતા સરકારી આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.